પનીર ચીઝના લીલવા ઘૂઘરા
સામગ્રી:
2 કપ ઘઉંનો લોટ
500 ગ્રામ લીલા વટાણા
500 ગ્રામ તુવેર
2 ટીસ્પૂન વાટેલાં આદુ-મરચાં
1/2 કપ સમારેલી કોથમીર
મીઠું સ્વાદ અનુસાર
ખાંડ અને લીંબુ સ્વાદ પ્રમાણે
તેલ, જરૂર પ્રમાણે
પનીર-ચીઝ જરૂર પ્રમાણે
રીત:
- લીલા વટાણા અને તુવેરને ક્રશ કરી લો.
- કઢાઇમાં બે ચમચા તેલ ઉમેરી તેમાં વટાણા-તુવેરનો ક્રશ કરેલો માવો ઉમેરો અને તેમાં મીઠું, લીંબુ, ખાંડ, આદું-મરચાંની પેસ્ટ, કોથમીર ભેળવીને થોડી વાર ચડવા દો.
- ઠંડુ પડે એટલે તેમાં પનીરના નાના ટુકડા અને ચીઝ છીણીને ભેળવો.
- ઘઉંના લોટમાં મીઠું નાખીને લોટ બાંધો.
- તેમાંથી પૂરી વણો અને તેમાં પૂરણ ભરી ઘૂઘરાનો આકાર આપો.
- ગરમ તેલમાં તળીને કોથમીરની ચટણી સાથે સ્વાદ માણો.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો