શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

પનીર ચીઝના લીલવા ઘૂઘરા


પનીર ચીઝના લીલવા ઘૂઘરા




સામગ્રી: 

2 કપ ઘઉંનો લોટ
500 ગ્રામ લીલા વટાણા
500 ગ્રામ તુવેર
2 ટીસ્પૂન વાટેલાં આદુ-મરચાં
1/2 કપ સમારેલી કોથમીર
મીઠું સ્વાદ અનુસાર
ખાંડ અને લીંબુ સ્વાદ પ્રમાણે
તેલ, જરૂર પ્રમાણે
પનીર-ચીઝ જરૂર પ્રમાણે

રીત:

- લીલા વટાણા અને તુવેરને ક્રશ કરી લો.
- કઢાઇમાં બે ચમચા તેલ ઉમેરી તેમાં વટાણા-તુવેરનો ક્રશ કરેલો માવો ઉમેરો અને તેમાં મીઠું, લીંબુ, ખાંડ, આદું-મરચાંની પેસ્ટ, કોથમીર ભેળવીને થોડી વાર ચડવા દો.
- ઠંડુ પડે એટલે તેમાં પનીરના નાના ટુકડા અને ચીઝ છીણીને ભેળવો.
- ઘઉંના લોટમાં મીઠું નાખીને લોટ બાંધો.
- તેમાંથી પૂરી વણો અને તેમાં પૂરણ ભરી ઘૂઘરાનો આકાર આપો.
- ગરમ તેલમાં તળીને કોથમીરની ચટણી સાથે સ્વાદ માણો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons